Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

સાવરકુડલા કબીર ટેકરી ખાતે નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો

સાવરકુંડલા : શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટ્રસ્‍ટ સાવરકુંડલા અને લાયન્‍સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્‍ટ સુદર્શન નેત્રાલય હોસ્‍પીટલ અમરેલી  દ્વારા તથા  રમાબેન અનિલભાઈ પારેખ ના આર્થિક સહયોગ થી વિનામુલ્‍યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્‍પનું ભવ્‍ય કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં આંખોના રોગથી પીડાતા દર્દી નારાયણ માટે ઓપરેશન વિનામુલ્‍યે કરવામાં આવ્‍યા હતા. જેમાં ઓ પી ડી માં ૯૦ દર્દીઓને લાભ લીધો હતો. જયારે મોતિયાના ઓપરેશનનો  ૧૬ દરદી એ લાભ લીધો હતો આ કેમ્‍પનુ દિપ પ્રાગટય કબીર ટેકરીનાં મહંત શ્રી નારણદાસ સાહેબ, લાયન્‍સ કલબ ઓફ અમરેલી  સિટી માંથી ભુપતભાઇ ભુવા તથા ભગવાનભાઈ  કાબરીયા તથા ભદ્રસિંહ ફોરેસ્‍ટરનાં હસ્‍તે કરાયું હતું. કેમ્‍પમાં સામાજિક સેવા સંસ્‍થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્‍મારક ટ્રસ્‍ટ ના ટ્રસ્‍ટી વિશાલભાઇ વ્‍યાસ,  જિતેનભાઇ હેલૈયા, ચીમનનાથ નાથજી,  મેહુલભાઈ ત્રિવેદી તથા  પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી નિલેષભાઈ ભીલ, કબીર ટેકરીના સ્‍વયંમ સેવકો   વગેરેએ હાજર રહી સેવા આપી હતી... આ કેમ્‍પ દર મહિનાના ત્રીજા રવિવારે કબીર ટેકરી ખાતે છેલ્લા ૧૦ વર્ષથી યોજાય છે. (તસ્‍વીરઃ અહેવાલ : દિપક પાંધી-સાવરકુંડલા)

(2:07 pm IST)