Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

વી.વી. વઘાસીયાને શ્રધ્‍ધાંજલી અર્પતા ધારાસભ્‍ય કસવાળા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. રર :  જન્‍મ તેનું મળત્‍યુ એ સનાતન સત્‍ય છે પણ અમુક મળત્‍યુ થાય ત્‍યારે હંમેશા તેની યાદો હર્દય ને કોરી ખાતી હોય છે ત્‍યારે ભાજપ ના પાયાના પથ્‍થર ગણાતા દિગ્‍ગજ ખેડૂત નેતા અને સરકારના પૂર્વ રાજ્‍ય મંત્રી વલ્લભભાઈ વઘાસીયા નો ગઈકાલે કાર અકસ્‍માતમાં જીવનદીપ બુજાઈ જતા વઘાસિયા પરિવાર સાથે ભારતીય જનતા પક્ષે એક સંગઠન શકિત મજબૂત કરવામાં સિંહ ફાળો આપનારા ખેડૂતોના હિતેચ્‍છુ નેતા ગુમાવ્‍યા હોવાનો વસવસો સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્‍ય મહેશભાઇ કસવાળાએ વ્‍યક્‍ત કર્યો હતો. ગઈકાલે જે અકસ્‍માત સર્જાયો તેમાં વઘાસિયા પરિવાર પર વજ્ર ઘાત સમાનની ઘટના ઘટી પણ સાથો સાથ અમરેલી જિલ્લા માંથી ભાજપે એક પાણી દાર નેતા ગુમાવ્‍યો હોવાનો અફસોસ ધારાસભ્‍ય કસવાળાએ વ્‍યક્‍ત કર્યો હતો. સૂર્યનો સૂર્યોદય અને સૂર્યાસ્‍ત એ કુદરતનો નિત્‍ય ક્રમ છે તેમ જ માનવીનું જીવન અને મળત્‍યુ પણ નિ?તિ જ હોય છે પણ જેણે જીવન જ ખેડૂતોના હિત માટે સમર્પિત કરીને જિલ્લા ભાજપના મહામંત્રી થી લઈને રાજ્‍ય સરકારના મંત્રી સુધીની સફરના સુવર્ણ કાળ ને વાગોળતા કસવાળાએ ભાજપના આદર્શ નેતા વઘાસીયા ગુમાવ્‍યા હોવાનું જણાવી ને વિજ્‍યાનગર ગામ સાથે સાવરકુંડલા તાલુકા એજ નહિ પણ જિલ્લા માંથી ખેડૂતોનો એક અવાજ ઈશ્વરના ધામમાં પહોચ્‍યો હોવાનું જણાવીને ઈશ્વર વઘાસિયા પરિવારને દુઃખ સહન કરવાની શક્‍તિ અર્પે તેવી દિવગંત નેતાને શ્રદ્ધાંજલી અર્પણ કરેલ હતી.

(1:53 pm IST)