Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

મોરબીના અજાણ્‍યા યુવકની લાશ મળી : વાલી-વારસની શોધખોળ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. રરઃ   મોરબીના મણીમંદિર પાસે એક અજાણ્‍યા યુવકનો મળતદેહ મળી આવ્‍યો હતો. જેને મળતદેહને પી.એમ. ખાતે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની તજવીજ હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી મણીમંદીર પાસે રેલ્‍વે પાટા અને શંકર આશ્રમ નીલકંઠ મહાદેવના મંદીરની દક્ષિણ તરફેની દીવાલ પાસે આશરે ૩૫ વર્ષની ઉંમરના એક યુવકનો મળતદેહ મળી આવ્‍યો હતો.મળત યુવક શરીરે મધ્‍યમ બાંધોનો છે. તેનો ચહેરો ગોળ છે. તેને બાજરી કલરનુ મેલા જેવુ અડધી બાઇનુ ટી શર્ટ તથા કાળા જેવા કલરનુ જીન્‍સ પેન્‍ટ પહેર્યું હતું. અને જમણા હાથમા આઇ મોમાઇ માં ત્રોફાવેલ હતું.

 આ અંગેની જાણ મોરબી સીટી બી ડીવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો અને મળતદેહને રાજકોટ ફોરેન્‍સીક સાયન્‍સ મેડીકલ કોલેજમાં પી.એમ કરાવવા માટે ખસેડાયો હતો. હાલ મળતદેહને રાજકોટના પી.એમ.રૂમના કોલ્‍ડસ્‍ટોરેજમા રાખવામા આવ્‍યો છે. જેને પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમે અપીલ કરી હતી કે, જો કોઈને પણ આ યુવકના વાલી વારસ અંગે જાણ હોય તેઓને પોલીસ મથકના ટેલિફોન નંબર ૬૩૫૭૨ ૪૦૭૧૮ તથા તપાસનીશ અધિકારી વી.ડી.મેતા મોબાઈલ નંબર ૯૬૮૭૬ ૯૩૩૦૨નો સંપર્ક કરે તેવું મોરબી સિટી બી ડિવિઝન પોલીસની યાદીમાં જણાવાયું છે.

(2:48 pm IST)