Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

રાજકોટમાં પુ. મુકતાનંદબાપુના જન્‍મોત્‍સવ નિમીતે રકતદાન કેમ્‍પ યોજાયો

જૂનાગઢ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ ગૌરવ પુનિત પરિવાર તથા રાજગોર બ્રાહ્મણ પરિવાર કોઠારીયાના સહયોગથી પુ.મુકતાનંદબાપુના પ્રાગટયદિન નિમીતે રાજકોટ પુનિત નગર વિસ્‍તારમાં વિઝન સ્‍કૂલના પંટાગણમાં રકતદાન કેમ્‍પનું આયોજન કરેલ. જેમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ તેમજ આર.બી. વાયસીના ચેરમેન બંકિમભાઇ મહેતા, સંજયભાઇ દવેએ રકતદાન કરી કેમ્‍પનો શુભારંભ કરાવેલ. આ તકે રાજગોર બ્રાહ્મણ સમાચારના તંત્રી ભૂપતભાઇ મહેતા, વિદ્યાર્થીભવનના પ્રમુખ હસમુખભાઇ જોષી, અલ્‍પેશભાઇ રવિયા, અનિલ જોષી, શહેરના વિભાગીય પ્રમુખ ગોરધન બામટા, સોશ્‍યલ ગૃપના ભરત જોષી તેમજ રાજેશ શીલુ, અજય જોષી, પત્રકાર જયેશ દવે, લલિત ધાંધલીયા સહિતએ જહેમત ઉઠાવી હતી. તેમ દિનેશ બોરીસાગરની યાદીમાં જણાવાયેલ છે.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:04 am IST)