Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જુનાગઢમાં મહાસાગર ટ્રાવેલ્સના ડ્રાઇવર કલીનર ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

ફોર વ્હીલર આડી ઉભી રાખી બસને પણ નુકશાન કર્યુ

 જુનાગઢ, તા., ૨૨: જુનાગઢમાં મહાસાગર ટ્રાવેલ્સના ડ્રાઇવર-કલીનર ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી અને બસને નુકશાન પહોંચાડયું હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢ સ્થિત મહાસાગર ટ્રાવેલ્સના ડ્રાઇવર અને કલીનર રાત્રે જુનાગઢ પાસે રાજકોટ હાઇવે ઉપર આવેલ મહાસાગર પેટ્રોલ પંપમાંથી ટ્રાવેલ્સની જીજે ૩ બીવી-૦૮૦૦ નંબરની બસ બહાર કાઢતા હતા.

ત્યારે બે અજાણ્યા કાળા કલરની ફોર વ્હીલમાં આવી અજાણ્યા શખ્સોએ કાર ટ્રાવેલ્સની આડી ઉભી રાખી દીધી હતી.

બાદમાં ડ્રાઇવર-કલીનરને ગાળો કાઢી અને હોકી તેમ ટાયર ખોલવાનાં પાના વડે બસના કાચ તેમજ ડેશબોર્ડની તોડફોડ મચાવી હતી.

ઉપરાંત ડ્રાઇવર અને કલીનરને ઢીકા પાટુનો માર મારી લુખ્ખાગીરી આચરીને હુમલાખોરો નાસી ગયા હતા. આ અંગે જુનાગઢના ગાંધીગ્રામમાં રહેતા અભય જયપ્રકાશભાઇ સુખવાણીએ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવની વિશેષ તપાસ એએસઆઇ પી.જે.વાળા ચલાવી રહયા છે.

(4:00 pm IST)