Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

કોટડા સાંગાણીના માણેકવાડાના વણકર યુવકની હત્યા બાદ દલીત સમાજના લોકો રાજકોટ સિવીલ હોસ્પીટલે ઉમટયાઃ ભારે રોષ

રાજકોટઃ કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના રાજેશ સોંદરવાની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકના પિતાની પણ એક વર્ષ પહેલા હત્યા થયા બાદ પુત્રની પણ હત્યા થતા દલીત સમાજમાં ભારે રોષ છવાઇ ગયો છે. આ બનાવ બાદ મૃતદેહને રાજકોટ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવતા પીએમ રૂમની બહાર સિવિલ હોસ્પીટલ ખાતે દલીત સમાજના લોકો ઉમટી પડયા હતા અને ભારે રોષ ઠાલવ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.

(1:24 pm IST)