Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ચોટીલાના નવા સુરજદેવળમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના હોદેદારોની વરણી

ચોટીલા, તા.૨૨: રાષ્ટ્રીય રાજપુત કરણીસેનાનાં રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષે કાઠી દરબારોની જગ્યા ચોટીલાનાં નવા સુરજદેવળ ખાતે યોજાયેલ બેઠકમાં ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર પ્રાત સાથે જીલ્લાના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરેલ છે.

રવીવારના રોજ નવા સુરજદેવળ ટ્રસ્ટના પ્રમુખ, કાઠી ક્ષત્રિય સમાજનાં ઉપ પ્રમુખ અને ચોટીલા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન ભરતભાઇ બી ધાધલ, રાષ્ટ્રીય કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજસિંહ શેખાવત સહિતનાં આગેવાનોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. જેમાં જીલ્લા પ્રમુખ તરીકે મંગળુભાઇ જીલુભાઇ ખાચર, સૌરાષ્ટ્ર પ્રાત ઉપ પ્રમુખ બાબભાઇ વીસુભાઇ ખાચર, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જયરાજભાઇ ભરતભાઇ ધાધલ, ઉમેદભાઇ ગભરૂભાઇ બસીયા, બહાદુરભાઇ માંજરીયા, રાજુભાઇ અનકભાઇ કરપડા ની વરણી કરવામાં આવેલ.

સુરેન્દ્રનગર જીલ્લાનાં મહામંત્રી તરીકે અશોકભાઇ ભુપતભાઇ ખાચર, સંગઠન મંત્રી બલવીરભાઇ શાંતુભાઇ ખાચર, ઉપ પ્રમુખ તરીકે રામભાઇ મોકાભાઇ કરપડા, ભરતભાઇ જીલુભાઇ ખાચર, રામકુભાઇ ભગત અને જીલ્લા મહામંત્રી તરીકે જયરાજભાઇ ખાચર, યુવરાજભાઇ ખાચર, મંગળુભાઇ ખાચર અને અજયભાઇ ખાચરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

આ પ્રસંગે કાઠી ક્ષત્રિય સમાજનાં આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વરણી પામેલ તમામ હોદ્દેદારોને આવકારેલ હતા.

વર્તમાન સમયમાં આ સંગઠન ક્ષત્રીય રાજપુત સમાજનું સંગઠન મજબુત કરવા તેમજ સમાજમાં સામાજીક અને શૈક્ષણિક જાગૃતતા માટે કાર્યરત રહીને કામગીરી કરશે તેમ ભરતભાઇ ધાધલે અખબારી યાદીમાં જણાવેલ છે.

રાષ્ટ્રીય રાજપુત કરણીસેના નાં વરાયેલ હોદ્દેદારો અને આગેવાનોની તસવીર(૨૩.૯)

(12:53 pm IST)