Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ધોરાજીના બાલધા ચોરાપાસે આવેલ સાંઇબાબાના મંદિર ખાતે દિંગબર લાલુગિરિજી મહારાજની હાજરીમાં ઉજવાયો ભવ્ય પાટોત્સવ

ધોરાજી, તા.૨૨:  ધોરાજીના બાલધા ચોરા સ્વામિનારાયણ મંદિર રોડ ડેલી ફળિયા ખાતે આવેલ સાંઈબાબાના મંદિરનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ સમયે ધોરાજી ચૈતન્ય હનુમાનજી મંદિર આહવાન અખાડાના શ્રીમહંત શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા આ સમયે શ્રીકષ્ટભંજન યુવક મંડળના અનિલભાઈ બખાઈ સહિતના અગ્રણીઓએ પૂજય બાપુનું સન્માન કર્યું હતું આ સાથે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા લુહાર સમાજ ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી ધોરાજી શહેર ભાજપના મહામંત્રી સુખદેવસિંહ વાળા ઉપપ્રમુખ ધીરુભાઈ કોયાણી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાઈબાબા મંદિર ખાતે આવેલ હનુમાનજી મંદિર શંકર ભગવાનનું મંદિર સહિતના ત્રિવિધ મંદિરોનો પાટોત્સવ પ્રસંગે બટુક ભોજન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો પણ રાખવામાં આવેલા હતા.

(11:53 am IST)