Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

દ્વારકામાં ચીલઝડપ ટોળકીના આતંકથી ફફડાટ : ૧૦૦ જેટલા ભાવિકો ભોગ બન્યા

દ્વારકા તા ૨૨ :  ગુજરાત રાજય અને દેશભરના ખુણે ખુંણાથી દ્વારકાધીશના ં ધામમાં ફુલડોર ઉત્સવના દર્શાનાર્થે આવતા સંખ્યાબંધ ભાવિક પરિવારો ઉઠાવગીર ટોળકીનો ભોગ બન્યા છે, અને આવા પરિવારોની હાલત ખુબજ કફોડી બની છે. મંદિરપરિસર તથા નિજ મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કરતા ભાવિક પરિવારોના ખીસ્સા હળવા થયા છ, ે તો મહિલાઓ અને પુરૂષોના ગળામાં રહેતા માળા  કાઢી સોનાના ચેઇનની ચીલ ઝડપ સોૈથી વધુ થઇ છે. મંદિર પરિસરની બહાર ઉભા કરવામાં આવેલા માહીતી કેન્દ્રમાં આજે સાંજ સુધીમાં ૮૦ જેટલા પરિવારો આ પ્રકારનો ભોગ બન્યાની નોંધ થઇ છે, તો  બીજી તરફ પોલીસે મંદિર પરીસરમાંથી એક રાજસ્થાની તસ્કર ટોળકીને પકડી પાડી છે, ઉપરાંત સાંજ સુધીમાં  ૩૦  જેટલા મહીલા, પુરૂષોને શંકાસ્પદ રીતે ઝડપી લીધા છે.

કેટલાક ભોગ બનનારાઓએ આવા તસ્કરોની ઓળખ પણ પોલીસ સમક્ષ કરી છે, પરંતુ કમનસીબે પોલીસને શંકાસ્પદ વ્યકિતઓ પાસેથી કોઇ મુદામાલ હજુ સુધી પ્રપ્ત થયો ન હોય જેથી પોલીસની મુંઝવણ વધી છે.

છેલ્લા ૪૮ કલાકમાં દ્વારકામાં લાખો ભાવિકોએ દ્વારકાધીશજીના દર્શન કર્યા છે અને મંદિર પરિસર લાંબા સમય સુધી અને વહેલી સવારથી ભાવીકોથી ભરચક છે.

કપડવંજના  ભીખાભાઇ રબારી જેે શિક્ષક છ તેમના ધર્મ પત્નીના ગળામાંથી ચાર તોલાના સોનાના ચેનની ચીલ ઝડપ નો બનાવ પત્રકારો સમક્ષ દ્વારકાના પોલીસ સ્ટેશનમાં રજુ થયો હતો. આવા અનેક કિસ્સાના કારણે દ્વારકા ધામની ગીરીમાં ઉપર બટ્ટો લાગ્યો છે.

(11:58 am IST)