Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

બેકારી અને પત્નીની બિમારીથી માંગરોળના યુવાનનો આપઘાત

ઘરે એકલો હતો ત્યારે ગળાફાંસો ખાય લીધો

જુનાગઢ, તા. રર : બેકારી અને પત્નીની બિમારીથી માંગરોળના એક યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

માંગરોળના કાજીવાડા વિસ્તારમાં રહેતા શાહનવાજ હાફીસભાઇ શેખ (ઉ.વ.૩૪) નામનો યુવાનને કોઇ મજુરી કામ-ધંધો ચાલતો ન હોય બેકાર હતો.

અધુરામાં પુરૂ પત્ની પણ પાંચ મહિનાથી બિમાર હોય ગઇકાલે શાહનવાજ તેના ઘરે એકલો હતો ત્યારે તેણે ગળાફાંસો ખાય લઇને મોતને મીઠુ કરી લીધી હતું.

આ અંગેની જાણ થતાં પોલીસ દોડી જઇ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ડમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી.

(11:53 am IST)