Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

થાનગઢના પ્રેમીયુગલે ટ્રેન નીચે ઝંપલાવી જીવ દીધો

વઢવાણ, તા. રર : સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢના પ્રેમી પંખીડાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવથી કોળી અને ગરાસીયા પરિવારમાં ઘેરો શોક છવાઇ ગયો છે.

થાનની એસબીઆઇ બેંક પાછળ રહેતા રમેશભાઇ દેત્રોજા (કોળી)ના સગીરવયની પુત્રી કારખાનામાં કામ કરતી હતી. અને પ્રજાપતિ પાર્કમાં રહેતા કૃષ્ણસિંહ બારડ (ગરાસીયા)ના પુત્ર વિજયસિંહ ત્યાં પાણી આપવા જતો હતો ત્યારે સગીરા અને વિજય નેઅવાર નવાર મળવાનું થતા બન્ને વચ્ચે પ્રેમ પાગર્યો હતો અને બન્ને મળતા  હતા. શનિવારે બન્ને જણા ઘરેથી કોઇને પણ કહ્યા વગર ઘરેથી ભાગી છૂટયા હતાં.

આ અંગે પોલીસ મથકે જાણ પણ કરાઇ હતી ત્યાં પોલીસે ગુનો તપાસ આરંભી હતી જેમાં ત્રણ દિવસ બાદ બન્ને પ્રેમી પંખીડાએ મૂળીના દેવપરા પાસે આવેલ રેલ્વે ટ્રેક પર પડતુ મૂકી મોતને વ્હાલુ કરી લેતા રેલ્વે વિભાગના સરફરાજ શેરસીયા અને દિલીપભાઇ માંઝરીયાએ સ્થળ પર જઇ બન્ને લાશનો કબ્જો લઇ પીએમ સહિતની તપાસ આરંભી હતી.  દેવપરા પાસે બન્ને પ્રેમી પંખીડાના મૃતદેહનો કબ્જો લઇ તપાસ કરતા યુવાનના ખીસ્સામાં જોતા પર્સ અન્ય વ્યકિતનું હોવાનું અને તેમાં ચૂંટણી કાર્ડ હતું.

મૃતક સગીરાના પરિવારજનો મૂળી હોસ્પિટલ પીએમ કરાવવા આવ્યા ત્યારે આક્ષેપ કરતા જણાવ્યું કે પોલીસને બે દિવસથી વગડીયાનું લોકેશન મળ્યું હતું તેમ છતાં તપાસ યોગ્ય રીતે ન થતા અમારે દિકરી ખોવાનો વારો આવ્યો છે.

(11:47 am IST)