Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ઉનાના દ્રોણેશ્વરમાં ચકલી દિનની ઉજવણી

ઉના : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ દ્રોણેશ્વરમાં પર્યાવરણ વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી હતું. પરમ પૂજય ગુરુવર્ય શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીનાં આશીર્વાદ અને પૂ. સદ્ગુરૂ સંતોના પ્રેરણાથી સ્વ. રામભાઇ કસવાળા પરિવાર ઉના તરફથી ૧૦૦૦ માળા અને પક્ષીની ચણ માટેના સ્ટેન્ડ પૂજય સંતોનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતાં. બાળકોએ એક-એક મુઠ્ઠી અનાજ લાવીને પંખી માટેની ચણ એકઠી કરીને પોતાનું યોગદાન આપેલ હતું. આ દિવસે એક શુભ સંકલ્પ થયો કે એક બાળક એક વૃક્ષ વિદ્યાર્થીઓના પરિવારમાં જન્મેલા નવજાત દિકરા કે દિકરીઓના જન્મોત્સવના આનંદના પ્રતિકરૂપે ર૦૦ વિદ્યાર્થીઓએ બાળક દીઠ વૃક્ષ વાવી અને ઉછેરવા માટે સંકલ્પ કરવામાં આવ્યા હતાં. ચકલીનાં માળા વિતરણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:34 am IST)