Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

સિંધી સમાજ ચેટીચાંદની તારીખ ફેરફાર: તા, 22ને બુધવારને બદલે ૨૩/૦૩/૨૦૨૩, ગુરૂવારના રોજ ચેટીચાંદ ઉજવાશે

જામનગર સિંધી સમાજ ની "ચેટીચાંદ" ઝુલેલાલ જયંતી ને અનુલક્ષી બેઠક યોજાઈ ગઈ.

જામનગર સિંધી સમાજ ના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણીના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ ૨૩/૦૩/૨૦૨૩, ગુરૂવારના રોજ હિન્દુ સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી ઝુલેલાલ જીની જન્મજયંતી " ચેટીચાંદ "ની ઉજવણી ના ભાગરૂપે સમસ્ત સિંધી સમાજની ગત તારીખ ૧૯/૦૨/૨૦૨૩, રવિવાર ના રોજ ખંભાળિયા નાકા પાસે આવેલ શ્રી સખખર સિંધી પંચાયતની વાડી ખાતે બેઠક મળી હતી

આ બેઠકમાં હિન્દુ નવવર્ષ ગુડી પડવો તેમજ સિંધી સમાજનું નૂતનવર્ષ ચેટીચાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ  આનંદ હર્ષલ્લાસપૂર્વક ઉજવણીના ભાગરૂપે સવારે ૦૫:૦૦ કલાકે શ્રી ઝુલેલાલ મંદિર,જુના રેલ્વેસ્ટેશન ખાતે આરતી બાદ કેક કાપી મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે જ્યારબાદ દર વર્ષે ની જેમ સમાજના બાળકો માટે યજ્ઞોપવિત્રનું વિશેષ સમાજીક કાર્યકમ કરવામાં આવે છે ત્યારબાદ સમસ્ત સિંધી સમાજદ્વારા ભાઈઓ બહેનો યુવાઓ દ્વારા સંગઠનાત્મક થઈ મહા બાઈક રેલીનું આયોજન કરાયું છે જે બાઈક રેલી શહેર ના સાધના કોલોની સ્થિત ઝુલેલાલ મંદિરથી પ્રસ્થાન થઈ નગરભ્રમણ કરી ઝુલેલાલ મંદિર જુના રેલ્વે સ્ટેશન ખાતે પૂર્ણ કરવામાં આવશે.
જ્યાર બાદ બપોરે ૦૩:૦૦ કલાકે નાનકપુરી ખાતે થી સમાજ દ્વારા ઝુલેલાલ જયંતી ચેટીચાંદ નિમિતેની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં સમાજના અનેક મંડળો સંસ્થાઓ દ્વારા વિવિધ અલગ અલગ ધાર્મિક વૈવિધ્યતા સાથેના ફ્લોટ્સ તૈયાર કરી તેમજ પરંપરાગત સિંધી પહેરવેશ અને અનેક વેશભૂષા ધારણ કરી અનેકો આ શોભાયાત્રાની શાન માં રંગ ભરી દેતા હોય છે

 આ શોભાયાત્રા નગરભ્રમણ કરી શહેરના ઝુલેલાલ મંદિરે પૂર્ણ કરવામાં આવશે  જ્યારબાદ શોભાયાત્રા માં ભાગ લેનાર તમામ ફ્લોટ્સ ના મંડળો ને શ્રી ઝુલેલાલ મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવશે તેમજ જુના રેલ્વેસ્ટેશન શ્રી ઝુલેલાલ મંદિર સામે હરિદાસ (બાબુલાલ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્લોટમાં જ્ઞાતિસમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર કાર્યક્રમોના આયોજનની સૂચિ યાદી સમાજના મંચ પરથી જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ અંતિમ તબક્કા માં સૌ હાજર જ્ઞાતિજનો દ્વારા  સ્વરૂચિ ભોજન લઈ છે મિટિંગ પૂર્ણ કરવામાં આવી
આ તકે જામનગર સિંધી સમાજ ના ચેરમેન અને પૂર્વ વિકાસમંત્રી પરમાનંદ ખટ્ટર,  પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, પૂર્વપ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી, સેક્રેટરી કિશોર સંતાણી સહિત ઉપપ્રમુખ કરમચંદ ખટ્ટર, હેમંત દામાણી, હરેશ ગનવાણી, પ્રકાશ હકાણી, હિરેન માવાણી તથા ખજાનચી ચેતનદાસ મુલચંદાણી તથા સેક્રેટરી કીશનચંદ ધીંગાણી, મનીષ રોહેરા, મુકેશકુમાર લાલવાણી, શંકરલાલ જેઠાલાલ,પરસોતમ કકનાણી, દ્રોપદી સંતાણી તથા ઓડીટર જેઠાનંદ લાલવાણી તેમજ લીગલ એડવાઈઝર મહેશ તખ્તાણી અને કોઓડીનેટર પ્યારેલાલ રાજપાલ, માયાબેન ધિંગાણી, ધનરાજ મંગવાણી, ભગવાનદાસ ભોલાણી, ચેતન શેઠીયા સહિત સમગ્ર ટીમ અને યુવા મંડળો તેમજ સમાજ ના મંડળો અને સંસ્થાના લોકો હાજર રહ્યા હતા.તેમ જામનગર સિંધી સમાજ ના યુવા તરવૈયા અગ્રણી અને મીડીયા સેલના કન્વીનર કપિલ મેઠવાણી ની યાદી માં જણાવાયુ છે.

(12:31 pm IST)