Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રાજુલાના હિંડોરણા ગામના યુવાને જીવાદોરી ટુંકાવી નાખી

મોટાભાઇએ કામધંધા અંગે ઠપકો આપતા : રવિવારે ઘરેથી નિકળી ગયેલ : ભાવનગર બોરતળાવમાં આપઘાત

ભાવનગર તા. ૨૨ : ભાવનગર શહેરના બોરતળાવમાં ઝંપલાવી રાજુલા પંથકના યુવાને આપઘાત વહોરી લીધો છે.

બોરતળાવ (ગૌરીશંકર સરોવર)માં લેવલપટ્ટી નજીક એક યુવાનનો મૃતદેહ તરતો હોવાની ચોકીદાર હરપાલભાઇએ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને બોરતળાવના પાણીમાંથી યુવાનમાં મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કરતા પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે સર ટી. હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસ તપાસમાં મૃતક યુવાન રાજુલા તાલુકાના હિંડોરણા ગામનો માવજીભાઇ ભાણાભાઇ ડોળાશીયા (ઉ.વ.૨૫) હોવાનું અને તેના મોટાભાઇ ભરતભાઇએ કામધંધા અંગે ઠપકો આપતા લાગી આવ્યું હતું અને તે ગત રવિવારથી ઘરેથી નીકળી ગયો હતો. આજે બોરતળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે ડી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

(11:39 am IST)