Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પૂ. ધીરગુરૂદેવનું દીક્ષાભૂમિ ઉપલેટામાં પદાર્પણ : સંઘ જમણ

રાજકોટ તા ૨૨ : શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, ઉપલેટા ખાતે ૧૯૮૨ માં પૂજયપાદ શ્રી પ્રેમમૂનિ મ.સા. અને પૂ.શ્રી ધીરજમૂનિ મ.સા. (પિતા-પુત્ર) એ દીક્ષા અંગીકાર કરેલ.

આજે પૂ. શ્રી ધીરગુરૂદેવ ત્રણેક વર્ષે પધારતા નગરશેઠ અમિતભાઇ શેઠ, પ્રમુખ પંકજભાઇ શેઠ, વિજયભાઇ શેઠ વગેર ે ભાવિકો જુના જકાત નાકાથી સ્વાગતમાં જોડાયા હતા. ઉપાશ્રયે પધાર્યા  બાદ નવકારશી રાખેલ.પ્રવચન મધ્યે પૂ. ગુરૂદેવે  જીવનને સફળ બનાવવા સ્વીકાર, ગોઠવણ અને છોડવાના  સુત્રને આત્મસાત  કરવા જણાવેલ. ધોરાજી સંઘ પ્રમુખ શરદભાઇ દામાણી વગેરેઅ ે હાજરી આપેલ, બપોરે ગુરૂભકતો તરફથી સંઘજમણ યોજાયેલ, પ્રભાવનાનો લાભ  શોભાબેન વાધરે લીધેલ.પૂ. શ્રી  ઉપલેટાથી વિહાર કરી, રાજકોટ તરફ પધારશે, જયાં તા.૩ ને રવિવારે ઉત્તમ-સુર્ય- વિજય ઉપાસના ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે નિશ્રાપ્રદાન કરશે. (૩.૧૬)

(4:13 pm IST)