Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

વઢવાણના બલદાણા પાસે પગપાળા જતા અનિરૂધ્ધસિંહના 'જીવન'નો અંત

રસ્તો, ક્રોસ કરવા જતા'તા ત્યારે જ અજાણ્યો વાહન ચાલક 'કાળ' બની ત્રાટકયો

વઢવાણ, તા., ૨૨: તાલુકાના બલદાણા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનની ઠોકરે ક્ષત્રીય યુવાન 'કાળ'ને ભેટતા તેના પરીવારજનોમાં કલ્પાંત પ્રસરી જવા પામ્યો છે.

વિગત મુજબ બલદાણા ગામના પાટીયાથી લીંબડી બાજુ રોડ ઉપર અનિરૂધ્ધસિંહ સરવૈયા (રહે. રાજપરા, જિલ્લા ભાવનગર) ચાલીને જતા હતા ત્યારે રોડ ક્રોસ કરવા જતી વેળા કોઇ અજાણ્યા  વાહન ચાલકે માતેલા સાંઢની માફક ધસી આવીને ઠોકરે ચડાવતા ગંભીર ઇજા થવાથી કરૂણ મોત નિપજયું હતું.

આ અંગે ભોગ બનનારના ભાઇ જયવંતસિંહ સરવૈયાએ ફરીયાદ નોંધાવતા પ્રો.પીએસઆઇ એમ.બી.ડોડીયાએ અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી શોધખોળ આગળ ધપાવી છે.

(12:58 pm IST)