Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જૂનાગઢનાં ૧૦૦ વર્ષનાં પુરીબેન ગામીનું અગ્નિસ્નાન

જૂનાગઢ તા. રરઃ જૂનાઢનાં ૧૦૦ વર્ષનાં પુરીબેન ગામીએ અગ્નિસ્નાન કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

અહિં દોલતપરામાં રામ મંદિર પાસે રહેતા પુરીબેન મનજીભાઇ ગામી (ઉ.વ. ૧૦૦) નામનાં પટેલ વૃધ્ધાને વૃધ્ધાવસ્થાને લઇ આંખે દેખાતું ન હોય જેથી કંટાળી જઇને ગઇકાલે પોતાના શરીર પર કેરોસીન છાંટીને અગનપછેડી ઓઢી લીધી હતી.

વિશેષ તપાસ એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

(11:36 am IST)