Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

મહેન્દ્રભાઇનો પરાજય થતા જુનાગઢ કર્મચારી સંઘના પ્રમુખપદેથી રાજીનામુ

જુનાગઢ તા.ર૧ : જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઇ મશરૂનો પરાજય થતા કાયમી કર્મચારી સંઘના પ્રમુખપદેથી અનિલ ઉદાણીએ રાજીનામુ આપ્યુ છે.

કોર્પોરેશનના પુર્વ નગરસેવક અને કાયમી કર્મચારી સંઘના પ્રમુખ અનિલ ઉદાણીએ જણાવ્યુ છે કે, જુનાગઢ મહાનગરપાલિકાના કાયમી કર્મચારી સંઘના પ્રમુખ તરીકે કાર્યરત છીએ પરંતુ હાલની ચૂંટણીઓમાંાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂની હાર થતા અને ઐતિકતા, નીતિમતા અને નિયમિતતાના ગુણો મને શીખવનાર વ્યકિત હાલ જુનાગઢના રાજકારણમાં ન રહેતા હું પણ આ કાયમી કર્મચારી સંઘના પ્રમુખપદેથી રાજીનામુ આપી નૈતિકતા અને રાજકીય ગુરૂ પ્રત્યેનો સમર્પણ ભાવ દાખવુ છુ.

(11:46 am IST)