Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કાલે જસદણમાં જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપનું સ્નેહમિલન

રાજકોટ, તા. ૨૧ : જસદણ ખાતે આવતીકાલે તા. ૨૨ના ગુરૂવારે સાંજે ચાર કલાકે શ્રી પ્રવીણભાઈ છાયાણીની વાડીના પટાંગળમાં, નવા બસસ્ટેન્ડ સામે, જસદણ તથા વીંછીયા વિધાનસભા પરિવારના નવા વર્ષ નિમિતે સ્નેહમિલનનો કાર્યક્રમ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઇ વાદ્યાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષપદે  પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, જિલ્લાના પ્રભારી અને મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ, મંત્રીશ્રી આર. સી. ફળદુ, મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવાળીયા, મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા, રાજયમંત્રીઓ વાસણભાઈ આહીર તથા શ્રી વિભાવરીબેન દવે તેમજ અન્ય પદાધિકારીઓમાં સૌરાષ્ટ્ર સહભાગી જળસંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઇ બોધરા, સાસંદો શ્રી મોહનભાઇ કુંડારીયા, શંભુપ્રસાદ ટુંડીયા, ભારતીબેન શિયાળ, રાજેશભાઇ ચુડાસમા, દેવજીભાઈ ફતેપરા, નારણભાઇ કાછડીયા અને અન્ય સાંસદો, ધારાસભ્યોમાં સર્વશ્રી આર.સી. મકવાણા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ભવાનભાઈ ભરવાડ, લાખાભાઈ સાગઠિયા, જેઠાભાઇ ભરવાડ, કેશુભાઈ નાકરાણી, શ્રીમતી ગીતાબા જાડેજા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બોર્ડનિગમના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી,  નરેન્દ્રભાઈ સોલંકી, મહેન્દ્રસિંહ સરવૈયા, જસદણના પૂર્વ રાજવી સત્યજિતકુમાર ખાચર વગેરે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા  જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડી. કે. સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મહેતા, જયંતીભાઈ ઢોલ અને જિલ્લા ભાજપની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે તેમ ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવની યાદીમાં જણાવાયું છે.

(4:02 pm IST)