Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ભવનાથમાં પરિક્રમા ટાંકણે મૃત નવજાત બાળકી મળતા ચકચાર

અજાણ્‍યા માતા-પિતા સામે કાર્યવાહી

જુનાગઢ તા.૨૧: ભવનાથમાં પરિક્રમા ટાંકણે મૃત નવજાત બાળકી મળી આવતા ચકચાર વ્‍યાપી ગઇ હતી.

ગરવા ગિરનાર ફરતે યોજાયેલી પરિક્રમા ભવનાથમાં જયાંથી શરૂ થાય છે. તે જગ્‍યા રૂપાયતન ગેઇટ નજીક નવજાત બાળકીનો મૃતદેહ ગઇકાલે મળી આવ્‍યો હતો.

આ અંગેની જાણ થતાં પોલીસે દોડી જઇને મૃત નવજાત બાળકીની લાશને પોસ્‍ટ મોર્ટમ માટે હોસ્‍પિટલમાં મોકલી આપી હતી.

કોઇ મહિલાએ બાળકીને છુપાવવા માટે તાજી જન્‍મેલી બાળકીને તરછોડી દેતાં તેનું મૃત્‍યુ થયું હોવાનું અનુમાન છે.

પોલીસે અજાણ્‍યા માતા-પિતા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:21 pm IST)