Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જામજોધપુર બાર એસોસિએશનનાં પ્રમુખ જયેન્‍દ્રભાઇ મકવાણાનું જન્‍મ દિવસે જ અકસ્‍માતમાં મોત

પરિવાર સાથે જમીને પરત ફરતી વખતે કાર પુલ સાથે અથડાઇઃ પત્‍ની- ર બાળકોને ઇજા

જામજોધપુર તા.૨૧: જામજોધપુર બાર એસો.ના પ્રમુખનું જન્‍મદિવસે જ અકસ્‍માતમાં મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જામજોધપુર બાર એસોસિએશનનાં જયેન્‍દ્રભાઇ નાથાભાઇ મકવાણા (ઉ.વ.૫૮) ગઇકાલે રાત્રેપોતાનો જન્‍મ દિવસ ના ભાગરૂપે સહ પરિવાર જામજોધપુર હોટલમાં જમવા ગયા હતા ત્‍યારે જમીને ઉપલેટાથી જમીન પરત ફરતા સીદસર નજીક નવા પુલ પાસે તેમના કારનું ચલાવવું કાબુમાં ન રહેતા પુલ સાથે અથડાઇ પડતા જયેન્‍દ્રભાઇ નાથાભાઇ મકવાણાનું મૃત્‍યુ થવા પામેલ જયારે તેમના પત્‍ની ને કપાળમાં ઇજા થયેલ અને સાથે રહેલ તેમના બે બાળકોને પણ સામાન્‍ય ઇજાઓ થવા પામી હતી

(11:25 am IST)