Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કેનાલમાં પાણી છોડો :લખતર મામલતદાર કચેરીએ ખેડૂતનો આપઘાતનો પ્રયાસ :શરીરે કેરોસીન છાંટ્યું

કોઈ અઘટિત બનાવ બને એ પહેલા સાથી ખેડૂતોએ પકડી લીધો

લખતર મામલતદાર કચેરીમાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી. ખેડૂત પોતાની સાથે કેરોસીન લઇને આવ્યો હતો, જે તેણે કચેરીમાં છાટ્યું હતું. ખેડૂતની માગ હતી કે કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે, જો કે કોઇ અણબનાવ બને તે પહેલા જ સાથી ખેડૂતોએ આપઘાત કરનાર ખેડૂતને પકડી લીધો હતો.

  બનાવને પગલે અધિકારીઓ પણ ગુમસૂમ થઇ ગયા હતા, થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીની સભામાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, બાદમાં તેના પ્રશ્નનું નિરાણકરણ તાત્કાલિક આવી ગયું હતું.

(10:17 am IST)