Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરેન્દ્રનગર રેલ્વે કર્મચારીઓના સ્ટેશન ઉપર દેખાવો

વઢવાણ : AIRF તથા WREU ના લડાકુ નેતા ઘનશ્યામ સિંહ જાડેજાજીના નેતૃત્વ હેઠળ હિમાંશુ ભાઈ(રિટાયર્ડ સિટીઆઈ), બી આર કરદમ, એસ કે સિંહા, ચન્દ્રસિંહ , વ્યાસજી (સિગ્નલ), નરેન્દ્ર મિશ્રા, મહેબૂબ ભાઈ, નમો નારાયણ મિના(એસ સી એસ ટી એસોસિયેશન) તથા સુરેન્દ્રનગરના બધા યુવા સાથી,મહિલા સાથી,ટ્રેફિક(ગાર્ડ/માસ્ટર) મિકેનિકલ(લોકો/ કેરેજ), કોમર્શિયલ, ઇલેકિટ્રક, ટી આર ડી, એન્જીનીયરીંગ, મેડિકલ, આઈ ઓ ડબલ્યુ, તથા રેલવાના બધા કર્મચારીઓ આજે સાંજે સુરેન્દ્રનગર સ્ટેશન પર કર્મચારીઓની વિવિધ માંગણીઓ જેવી કે ૧) PLB આધારિત બોનસનો આદેશ તુરંત જાહેર કરો, ૨) NPS નાબૂદ કરો, ૩) રેલવે નું નિજીકરણ બન્ધ કરો, ૪) DA રિલીઝ કરો, જેવા મુદ્દા પર જોરદાર વિરોધ દર્શાવ્યો હતો અને પ્રશાસનને કર્મચારીની એકતા દેખાડી હતી, ને જો કર્મચારીની માંગણી નહિ સંતોષવામાં આવે તો કર્મચારી હડતાળ કરવાથી પાછળ નહિ રહેે તેવી ચિમકી આપી હતી ત્યારની તસ્વીર.

(11:23 am IST)