Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

કોડીનારમાં એસ.પી.નો લોકદરબાર

 કોડીનારઃ પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડાનો લોકદરબારનો કાર્યક્રમ યોજાયો હતો. ગીર સોમનાથ એસ.પી. અમિત વસાવના અધ્યક્ષસ્થાને યોજાયેલા લોકદરબારમાં શહેરની શાંતિ સલામતી માટેના અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે એસ.પી. અમિત વસાવાએ સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં કોડીનાર ક્રાઇમરેટ ગુનાખોરીમાં બીજા સ્થાને હોય ક્રાઇમ રેટનો ગ્રા નીચે લાવવા પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. તેમજ લોકદરબારમાં નવા ટ્રાફીક નિયમો, સાઇબર ક્રાઇમ સહિત શહેરની શાંતિ સલામતી અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. એસ.પી.ના લોકદરબારમાં કોડીનારના ઇન્ચાર્જ પી.આઇ. સોલંકી, પી.એસ.આઇ પરમાર, નગરપાલિકા પ્રમુખ હાજી રફીકભાઇ જુણેજા, પાલીકા સભ્યો સુભાષભાઇ ડોડીયા, રમેશભાઇ બજાજ, મનુભાઇ રાઠોડ, ભાજપ પ્રદેશ લઘુમતી મોરચા ઉપપ્રમુખ જીશાનભાઇ નકવી, દાઉદભાઇ  બાસઠીયા, હાજીબાપુ પટેલ સહિતના અગ્રણી આગેવાનો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. લોકદરબાર યોજાયો તે તસ્વીર.

(11:45 am IST)