Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ગાંધીધામ પાસે ટ્રેઇલર ફરી વળતા ૩૦ ઘેટા - બકરાના મોત

૧૦ જેટલા ઘેટા - બકરાને ઇજા : માલધારી પરિવારમાં અરેરાટી

ભુજ તા. ૨૧ : ગઈ કાલે મોડી રાત્રે ગાંધીધામ ના વરસાણા પાસે હાઈવે ઉપર સર્જાયેલા માર્ગ અકસ્‍માતમાં ૩૦ ઘેટાના મોત નીપજયાં હતા.

રાત્રે સર્વિસ રોડ ઉપરથી મેઈન હાઈવે ઉપર પોતાના ઘેટાં બકરા સાથે દેશળભાઈ રબારી નામના માલધારી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્‍યારે પુરપાટ આવતું ટ્રેઇલર ઘેટાં બકરા ના ટોળા ઉપર ફરી વળ્‍યું હતું. તેની નીચે ચગદાઈને ૩૦ ઘેટાં ના મોત નીપજયાં હતા અને ૧૦ જેટલા ઘેટાં ઇજાગ્રસ્‍ત થયા હતા.

આ અકસ્‍માત ને પગલે હાઈવે રોડ ઉપર ઠેર ઠેર માંસ ના લોચા અને લોહી લોહી થઈ ગયું હતું. અકસ્‍માત બાદ ટ્રેઇલર ઉભું રહી ગયું હતું. ઘટના સ્‍થળે મોડી રાત્રે માલધારી આગેવાનો મદદ માટે દોડી ગયા હતા.

 

(11:25 am IST)