Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

બગસરામાં ગણપતિ સ્‍થાપનામાં ૧૧૫૧ લાડુનો પ્રસાદ

બગસરા તા. ૨૧ : બગસરામાં ગણેશ ઉત્‍સવ દરમિયાન નીતનવીન રસમો દ્વારા ગણેશજીને મનાવવા માટેના લોકો દ્વારા કરવામાં આવે છે. જેમાં ૧૧૫૧ લાડુનો પ્રસાદ ગણપતિને અર્પણ કરી લોકોમાં વહેંચ્‍યો હતો.

ગણેશ ઉત્‍સવ દરમિયાન મેઘાણીનગરમાં રહેતા રાજનભાઇ ખિરયાને ત્‍યાં ઘેર ૮ વર્ષથી ગણપતિની સ્‍થાપના કરવામાં આવે છે. જેમાં દરરોજ નવા નવા પ્રસાદ ધરવામાં આવે છે. જેમાં આ પરિવાર દ્વારા ભગવાન ગણેશને મહાપ્રસાદ ધરવાની ઇચ્‍છા સાથે પુરા ૧૧૫૧ લાડુ ધરવામાં આવેલ અને અનોખી ઉજવણી કરવામાં આવેલ. ગણપતિના દર્શનાર્થે આવનાર તમામ ભક્‍તોને પણ આ પરિવાર દ્વારા પ્રસાદી સ્‍વરૂપે લાડુ ધર્યા છે. મહાપ્રસાદના દર્શન કરવા માટે પણ મોટી સંખ્‍યામાં લોકો જોવા મળ્‍યા હતા.(૨૧.૩)

 

(10:33 am IST)