Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પોલીસ ઉપર હુમલાની ઘટના સંદર્ભે જીલ્લા કલેકટર-પોલીસ વડા સલાયામાં

૧૬ આરોપીઓનું લોકેશન શોધીને ઝડપી લેવા પોલીસ ટીમોની તજવીજ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧ : દ્વારકા જિલ્લામાં રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મુલાકાતના દિવસે જ ખંભાળીયાના સલાયામાં તાજિયાના જૂલૂસ કાઢવા બાબતે થયેલી મગજમારીમાં પોલીસ ઉપર હૂમલો તથા વાહનોની તોડફોડ તથા ટોળાએ કરેલી મારકુટ વાહન ઉઠાંતરીના ચકચારી બનાવ અંગે ગઇકાલે રાજય મંત્રીશ્રિ પ્રદીપસિંહના ગયા પછી જિ. પો. વડા શ્રી સુનિલ જોશી તથા જિલ્લા કલેકટરશ્રી એમ. એ. પંડયાએ સલાયાની મુલાકાત લીધી હતી તથા બનાવ સંદર્ભે ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તથા તપાસનીશ અધિકારીઓ સાથે ચર્ચા કરી વિગતો જાણી હતી. તથા તપાસ કરતાં અધિકારીઓ દ્વારા જે સોળ નામો ફરીયાદમાં લખાવાયા છે તેમના લોકેશન ગોતીને અટકાયત કરવા કામગીરી હાથ ધરી છે.જો કે જાણવા મળતી વિગત પ્રમાણે રાજયના ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા કે જેઓ તેમના કડક નિર્ણય માટે જાણીતા છે તેમણે જિલ્લા તંત્રને આ બનાવ સંદર્ભે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. તો પોલીસ તંત્ર અહીં કડક અધિકારીને મુકે તો પણ નવાઇ નહીં...!! 

(1:10 pm IST)