Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ધોરાજીના વેગડી ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતના આપઘાતથી ૪ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

ધોરાજી તા. ર૧ :.. વેગડી ગામે રહેતા ભનુભાઇ જોરીયા (ઉ.૪૭) વાળાએ પોતાના વાડીએ ૬ વિઘાનો કપાસ વાવેલ અને વરસાદ ન થતા અને રોગચાળામાં કપાસનો પાક નિષ્ફળ જતા ૬ વિઘાનો કપાસ ઉપાડી નાખેલ અને ત્યાં જાર વાવેલ બાદમાં રાત્રે જારમાં પાણી વાળવા ગયેલ બાદમાં સવારે ઘેર ન આવતા તપાસ કરતા ઝાડ પર લટકતી તેની લાશ મળી આવતા આ અંગે ધોરાજી પોલીસને જાણ કરતા બીટ જમાદાર હિતેશભાઇ ગરેજા ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીની પી.એમ. અંગેની કાર્યવાહી હાથ ધરેલ હતી અને હાજર રહેલ ખેડૂતોએ જણાવેલ કે ત્યાં ખેતરની બાજુમાં આવેલ જીઆઇડીસીના પ્રદુષણને લીધે ખેડૂતનો પાક નિષ્ફળ ગયેલ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહેલ છે. મૃતકે આપઘાત કરતા ૪ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

(12:02 pm IST)