Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સુરેન્દ્રનગરમાં તાજીયા વખતે વિજવાયર તૂટતા યુવાનનું મોત

થોન્લી કમ્પાઉન્ડમાં માતમ છવાયોઃ અન્ય છ વ્યકિત દાઝી

વઢવાણ, તા.૨૧: સુરેન્દ્રનગર શહેરમાં મોહરમના પર્વે થોન્લી કમ્પાઉન્ડમાં જીવતો વીજવાયર તુટી પડતા યુવાનનું મોત થયું હતું. તાજીયા માતમમાં લાવતી વખતે નીચે લટકતો વીજવાયર ઉપર કરવા જતાં બનાવ સર્જાયો હતો. જીવતો વીજવાયર તુટી પડવાની આ દ્યટનામાં નિઝામ નામના યુવકનું મોત થવા ઉપરાંત અન્ય છ વ્યકતીઓ ગંીર રીતે દાઝી હતી.તાજીયા માતમમાં લાવવામાં આવતા હતા ત્યારે નીચો વિજવાયર લાકડીથી ઉંચો કરવા જતા જીવતો વિજવાયર તુટી પડયો હતો.જેમાં કરંટ લાગતા નિઝામ અનવરભાઈ મેર નામના ૩૨ વર્ષના યુવાનનું મોત નિપજેલ હતું જયારે છ વ્યકિતઓ ગંભીર રીતે દાઝી જતા હોસ્પીટલે લઈ જવાયા. બનાવને કારણે સુરેન્દ્રનગર શહેરમાં થોન્લી કમ્પાઉન્ડમાં માતમનું વાતાવરણ છવાયું હતું.

(11:52 am IST)