Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ટંકારાના હડમતીયા ગામે ડૂબી જતા બે પિતરાઇ ભાઇઓના મોતથી અરેરાટી

માસુમ સુરેશ અને રવિ (ઉ.૬) ના મોતથી વાંઝા પરિવારમાં શોકનું મોજાુ

ટંકારા તા. ર૧ :.. ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ તળાવમાં બે માસુમ પિતરાઇ ભાઇઓની ડૂબી જવાથી મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ રામદેવપીરના મંદિર નજીક રહેતા વિચરતી વિમુકત જાતિના સુંડલા બનાવતા વાંઝા પરિવારના બે બાળકો સુરેશ પ્રતાપ વાંઝા અને રવિ તુતાભાઇ વાંઝા (ઉ.વ. ૬-૬-) ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજયા હતાં. બાદમાં બન્ને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ટંકારાની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ટંકારા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

મૃતક હતભાગી બન્ને બાળકો કાકા અને મોટા બાપુના સંતાનો હતાં. અને તળાવના કાંઠે જ તેમના પરિવારજનો ઝૂંપડા બાંધીને રહે છે. બન્ને બાળકો તેમના ઝૂંપડા પાસે રમતા હતા અને રમતા રમતા બન્ને બાળકો અચાનક તળાવના કાંઠે પહોંચી ગયા હતા આથી તળાવના ઉંડા પાણીમાં ડૂબી જતા બન્ને બાળકોના મોત નિપજયા હતાં. એક જ પરિવારના બે માસુમ કૌટુંબિક ભાઇઓના ડૂબી જવાથી મોત થતા ભારે અરેરાટી મચી હતી.

(1:17 pm IST)