Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

કુતિયાણાના કાંસાવડમાં દાઝી જતાં રેખા કારાવદરાનું મોત

રાજકોટ તા. ૨૧: કુતિયાણાના કાસાવડમાં રહેતી રેખા નેભાભાઇ કારાવદરા (ઉ.૧૮) ગઇકાલે બપોરે દાઝી જતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ ગત સાંજે મોત નિપજ્યું હતું.હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી. રેખા રસોઇ બનાવી રહી હતી ત્યારે અભેરાઇ ઉપરથી કેરોસીનનું ડબલુ પડતાં ભડકો થતાં દાઝી ગયાનું પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)