Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

દ્વારકામાં બે દિવસીય જન્માષ્ટમી ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

દેવભૂમિ દ્વારકા તા. ૨૧ :. દ્વારકા ખાતે આગામી તા.૨૩/૨૪ ના રોજ જન્માષ્ટમી ઉત્સવ-૨૦૧૯ યોજાનાર છે. આ સમય દરમ્યાન દર્શનાર્થી અને યાત્રીકોની ભીડ મોટા પ્રમાણમાં રહે છે. દ્વારકા ઉત્સવના આયોજન અંગે દ્વારકા ખાતે પ્રાંત અધિકારીશ્રી વિઠલાણીના અધ્યક્ષ સથાને લગત વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં મંદિરમાં ભીડ વધુ હોવાથી કયુ કંટ્રોલ, એન્ટ્રી-એકઝીટ નકકી કરવા, વોટરપ્રુફ મંડપ, સ્ટેજ તથા વાહન પાર્કિંગની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા-સમિક્ષા કરવામાં આવી હતી.

તા. ૨૩-૨૪ ના રોજ રાત્રે ૦૮-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન ગોમતી દ્યાટ ખાતે દ્વારકા ઉત્સવ યોજાશે. જેમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે. જેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવે છે.

આ બેઠકમાં ચીફ ઓફીસરશ્રી ડુડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત અધિકારી, માર્ગ અને મકાન વિભાગના અધિકારી સહિત લગત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:33 am IST)