Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ભાવનગરમાં ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો જ્યારે ૧૨ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનું અવસાન થયું

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૮૯ કેસો પૈકી ૫૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૮૯ થવા પામી છે. જેમા  ભાવનગર શહેરમાં ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર જિલ્લામાં રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૧ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૧૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૮૯ કેસ પૈકી હાલ ૫૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૫ દર્દીઓનું અવસાન થયેલ છે.

(9:32 pm IST)