Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોનાને માત આપીને શીલના પીએસઆઇ વી.કે.ઉંજીયા હાજર

આરોપીની પૂછપરછ દરમિયાન સંક્રમિત થયેલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૧ : કોરોનાને માત આપીને શીલના પીએસઆઇ વી.કે.ઉંજીયા ફરજ પર પુનઃ હાજર થતા સ્ટાફે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

 

માંગરોળના શીલ પોલીસ મથકના નવનિયુકત પીએસઆઇ વિધીબેન ઉંજીયા તેમજ સ્ટાફના ચાર પોલીસ કર્મી એક આરોપીની પૂછપરછ દરમિયાન સંક્રમિત થયા હતા.  કોરોના પોઝિટિવ આવતા પી.એસ.આઇ. ઉંજીયા હોમ કવોરન્ટાઇન થયા હતા. તેમ છતાં તેઓએ પોતાના નિવાસ સ્થાન પરથી કાયદો-વ્યવસ્થા પર લક્ષ આપ્યું હતું.  દરમિયાન વી.કે.ઉંજીયા કોરોનાને પછડાટ આપીને સ્વસ્થ થતાં આજે સવારે તેઓ ફરજ પર હાજર થતા સ્ટાફે તેમનું સ્વાગત કરીને આવકાર્યા હતા.

(12:53 pm IST)