Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મોરબી જીલ્લામાં કોરોનાના ૭૪ કેસ નોંધાયાઃ ૩ દર્દીના મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૧: જીલ્લામાં કોરોના કેસો પ્રતિદિન વધી રહ્યા છે અને મૃત્યુ આંક સતત વધી રહ્યો છે ત્યારે હવે સરકારી ચોપડે પણ મૃત્યુ આંક દર્શાવાઈ રહ્યો છે જેમાં આજે નવા ૭૪ કેસ નોંધાયા હોય અને ૦૩ દર્દીના મૃત્યુ દર્શાવ્યા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૩૬ કેસોમાં ૧૦ ગ્રામ્ય અને ૨૬ શહેરી વિસ્તારમાં નોંધાયા છે અને ૦૨ દર્દીના મૃત્યુ થયા છે વાંકાનેર તાલુકામાં ૦૯ કેસો જેમાં ૦૪ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદના ૧૬ કેસો જેમાં ૦૫ ગ્રામ્ય અને ૧૧ શહેરી વિસ્તારમાં નોંધાયા છે તો એક દર્દીનું મોત થયું છે જયારે ટંકારામાં ૧૦ અને માળિયામાં ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૭૪ કેસ નોંધાયા છે આજે ૩૦ દર્દીઓ સ્વસ્થ થયા છે તો મોરબી અને હળવદમાં મળીને ત્રણ દર્દીના મોત થયા છે. નવા કેસો સાથે જીલ્લામાં એકટીવ કેસનો આંક ૬૨૦ થયો છે આજે કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૮ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

(12:49 pm IST)