Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

વાંકાનેરમા સહારા ઇન્ડિયા દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી

વાંકાનેર સહારા ઇન્ડિયા પરિવારનાં સ્ટાફ તરફથી ગઇકાલે પુલવામાં થયેલા આતંકવાદી હમલામાં શહિદ થયેલા ૪૦ જવાનોને મીણબત્તી સાથે એક મૌન રેલી કાઢી શહિદ થયેલા તમામ જવાનોને શ્રધ્ધાંજલી આપી હતી. જે રેલી શહેરનાં રાજમાર્ગો પર ફરી મામલતદારને આવેદન આપી રેલીની પૂર્ણાહુતિ ગ્રીન ચોક ખાતે કરવામાં આવી હતી. ગ્રીન ચોકમાં અકિલા દૈનિકના સિનિયર પત્રકાર મહંમદભાઇ રાઠોડએ પણ મીણબત્તી સળગાવી શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી તે તસ્વીર.(૨૩.૨)

 

(11:55 am IST)