Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

જામકંડોરણાના મેઘાવડમાં શહીદોને અંજલી

 ધોરાજી : મેઘાવડ ગામે સમર્પણ સત્સંગ મંડળ દ્વારા શાકોત્સવમાં વિશાળ સંખ્યામાં હરિભકતો હાજર રહેલ અને સંતો અને હરીભકતો તથા ગ્રામજનો દ્વારા વિર જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ અને સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ ભાયાવદર જૂનાગઢ સહિતના સંતોએ હાજર રહી શાકોત્સવનો મહિમા સમજાવેલ અને તમામ હરિભકતોને આર્શીવચન આપેલ હતા. સમર્પણ સત્સંગના પંકજભાઇ પંડીત, મહેશભાઇ ઘોણીયા, જીતેન્દ્રભાઇ પેથાણી સહિતના હાજર રહેલ. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા ગોવિંદ રાણપરા બંને મહાનુભાવોનું સ્વામીનારાયણના સંતો દ્વારા હાર પહેરાવી સન્માનીત કરી આર્શીવચન પાઠવેલ હતા. શાકોત્સવ યોજાયો તે તસ્વીર.(૪૫.૮)

(11:46 am IST)