Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ભાવનગરમાં પત્નિ રીસામણે જઇને અન્ય સાથે લગ્ન કરી લેતા પતિ અરવિંદ મકવાણાનો આપઘાત

ભાવનગર તા. ર૧: ભાવનગરમાં પત્ની રીસામણે ચાલી ગયા બાદ અન્ય સાથે લગ્ન કરી લેતાં લાગી આવતાં પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધાનો બનાવ બનવા પામ્યો છે.

મળતી વિગતો મુજબ શહેરનાં ખેડુતવાસ વિસ્તારમાં રહેતાં અરવિંદભાઇ ઉર્ફે મહેશભાઇ બટુકભાઇ મકવાણા ઉ.વ. ૩૪ એ તેનાં ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. મૃતક અરવિંદભાઇનાં પત્ની એક વર્ષ પહેલા રીસામણે ચાલી ગઇ હતી અને પિયરમાં જઇ તેને અન્ય કોઇ યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લેતાં લાગી આવતાં અરવિંદભાઇએ આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

પરણીતાનો આપઘાત

ભાવનગરમાં આપઘાતનાં વધુ એક બનાવમાં શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા વનીતાબેન દિપકભાઇ વાઘેલા ઉ.વ. રર એ તેનાં ઘેર એકલી હતી ત્યારે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

(11:37 am IST)