Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ગોંડલ રાધાકૃષ્ણનગરમાં વકીલ ગીરીશભાઇના પિતાના મકાનમાં દોઢ લાખની ચોરી

રાજકોટ તા. ર૧: ગોંડલના રાધાકૃષ્ણનગરમાં રહેતા વકીલના પિતાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૧.પ૦ લાખ ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના રાધાકૃષ્ણનગર શેરી નં. ૮ માં રહેતા વકીલના પિતા ચંદ્રકાંતભાઇ ધાબલીયા તા. ૧૯ ના રોજ પરિવાર સાથે ઘરને તાળુ મારી બહાર ગયા હતા. પાછળથી તસ્કરોએ તેના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલ પતરાની નાની પેટીમાંથી રૂ. ૧,પ૦,૦૦૦/- રોકડા ચોરી ગયા હતા. ચંદ્રકાંતભાઇ પરત આવ્યા ત્યારે દરવાજાનો નકુચો તુટેલો અને અંદર સામાન વેરવિખેર જોતા ચોરી થઇ હોવાની ખબર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ગોંડલ સીટી પોલીસે પુત્ર ગીરીશભાઇની ફરીયાદ દાખલ કરી પી.એસ.આઇ. બી. એલ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)