Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ગીર સોમનાથ રાજપૂત કરણીસેનાના હોદ્દેદારો

ઉના : તાલુકાના ગરાળ ગામે નાગણેચી માતાજીના મંદિરે નવમો પાટોત્સવ યોજાયો હતો. રાજપૂત કરણીસેનાના ગીર સોમનાથ પ્રમુખ, ઉપપ્રમુખની નિમણુક કરવામાં આવેલ. રાજકોટથી પધારેલ ગુજરાત કરણી સેનાના પ્રમુખ લક્કીરાજસિંહ ઝાલાએ હાજરી આપેલ તથા ઉના તાલુકાના શ્રી ક્રિષ્નેશ્વર મહાદેવ મંદિરના મહંત અમરગિરીબાપુ (ગરાળ)ની ઉપસ્થિતિમાં નવી નિમણૂંક કરાયેલ. હોદ્દેદારોમાં ગિર સોમનાથ જિલ્લા પ્રમુખ તરીકે વિક્રમસિંહ રાઠોડ તથા ઉના તાલુકા પ્રમુખ તરીકે મનહરસિંહ જીલુભા રાઠોડ (ગરાળ) તથા ઉપપ્રમુખ તરીકે બહાદુરસિંહ નટુભા રાઠોડ (કાણકબરડા)ની નિમણૂંક કરવામાં આવેલ. હોદ્દેદારોની તસવીર (તસ્વીર : નિરવ ગઢીયા, ઉના)

(11:27 am IST)