Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ઉના કોંગ્રેસ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી

 ઉના : ભારત-ચીનની સરહદ લદાખની ખીણમાં ચીન સૈનિકોએ ભારતના સૈનિકો સાથે યુદ્ધ કર્યું હતું અને ચીનને જડબાતોડ જવાબ આપતા ૧ કર્નલ સહિત ર૦ જવાનો શહીદ થઇ જતાં ઉના-ગીરગઢડા કોંગ્રેસ પરિવારે ત્રિકોણબાગમાં બાબા આંબેડકરજીની પ્રતિમા નીચે ધારાસભ્ય પુંજાભાઇ વંશ, બાલુભાઇ હિરપરા, રામભાઇ ડાભી, ગુણવંતભાઇ તળાવીયા, અરજણભાઇ મજીઠીયા, વિગેરે કોંગ્રેસી આગેવાનોએ શહીદોના ફોટાને પુષ્પાંજલી કરી સલામી આપી શ્રદ્ધાંજલી આપેલ હતી તે તસ્વીર .

(10:33 am IST)