Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જેતપુર ખોડલધામ સમિતી દ્વારા જયેશભાઇ રાદડીયા અને રાજુભાઈ પટેલની સાકરતુલા

નવાગઢઃ જેતપુર તાલુકા શહેર ખોડલધામ સમિતિ દ્વારા બહેનો માટેઙ્ગ નવરાત્રિ મહોત્સવનુંઙ્ગ આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસના રાસ ગરબા મહોત્સવનાઙ્ગ સમાપન પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા અને અગ્રણી ઉદ્યોગપતિ રાજુભાઇ પટેલની તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી જયેશભાઇ રાદડીયા માતાજીની આરતીમાં જોડાયા હતા ત્યારબાદ શ્રી રાદડીયાના હસ્તે જેતપુરના અગ્રણીઓનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે નોરતા એ માતાજી ની આરાધના કરવાનાઙ્ગ દિવસો છે ત્યારે આ નવરાત્રિ મહોત્સવ ને ઉત્સવ તરીકે ઉજવવા સરકાર પણ પ્રોત્સાહીત વાતાવરણ પૂરુ પાડવા કટિબદ્ઘ છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે નવલા નોરતાનાઙ્ગ મહોત્સવને વિશ્વ લેવલે આગવી ઓળખ અપાવી હતી. તુલા પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેનશ્રી ગોવિંદભાઈ રાણપરીયા,ઙ્ગઙ્ગજેતપુર નગરપાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલિયા,ઙ્ગશ્રી સુરેશ સખરેલિયા,ઙ્ગજેતપુરઙ્ગ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશોસિએશનના પ્રમુખ ભાવિક વૈશ્નવ,ઙ્ગભૂતપૂર્વઙ્ગ મંત્રી  જશુબેન કોરાટ,ઙ્ગગોરધનભાઈ ધામેલિયા,ઙ્ગ જેન્તીભાઇ રામોલિયાઙ્ગ તેમજ જેતપુરના અગ્રણી ્ઉદ્યોગપતિશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં ખોડલધામ સમિતિ જેતપુરનાઙ્ગ તમામ યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન  ગોવિંદભાઈ હીરપરા અને વિપુલ પટેલ તેમજ નવરાત્રિ મહોત્સવનું આયોજન શ્રીદર્શિત રાદડીયા તેમજ ખોડલધામ સમિતિ,ઙ્ગવિદ્યાર્થી સમિતિ,ઙ્ગમહિલા સમિતિ વગેરે દ્વારા કરાયું હતું.(તસ્વીર.અહેવાલઃનિતીન વસાણી.નવાગઢ)

(1:03 pm IST)