Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સુરેન્દ્રનગરમાં ૪૦ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન

સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં વિજયાદશમી નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોજાયો હતો જેમાં રાજકીય આગેવાનો ધારાસભ્ય અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, શ્રીરામ ભગવાનનો જયદ્યોષ બોલાવી રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, ૪૦ ફુટ ઉચા રાવણના પૂતળાનું દહન કર્યા બાદ ફટાકડાની આતશબાજી એ શહેરીજનોને આકર્ષિત કર્યા હતા. આમ રાવણ દહનના કાર્યક્રમ ને ધ્યાને રાખી પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. (તસ્વીર.અહેવાલઃફઝલ ચૌહાણ.વઢવાણ)

(12:56 pm IST)