Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પોરબંદરના પારાવાડામાં પતિ દ્વારા છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા

ઘર કંકાસથી ઉશ્કેરાયેલ પતિએ નિર્દય રીતે છરીના ઘા માર્યાઃ પત્નીનું રાજકોટ સારવારમાં મૃત્યુ નીપજતા ખૂનનો ગુન્હો

પોરબંદર તા. ૯ :.. પોરબંદર તાલુકાના પારાવાડામાં ઘર કંકાસથી પતિએ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી નાખી હતી.

પોરબંદર તાલુકાના પારાવાડામાં રહેતા ભીમા નાથાભાઇ સીડા મેરને ઘર કંકાશથી પત્ની સાથે અવારનવાર માથાકુટ થતી હતી ગઇકાલે રાત્રે ફરી માથાકુટમાં પતિ ભીમા નાથાભાઇ ઉશ્કેરાઇ જઇને છરી વડે નિર્દયી રીતે પત્ની દેવીબેન ઉપર ઘા કરી દેતાં દેવીબેનને ગંભીર ઇજા થયેલ અને પોરબંદરમાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સારવાર માટે ખસેડાયેલ અને સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા જીવેલણ હૂમલાનો બનાવ ખૂનમાં પલટાયો છે. પોલીસે પતિ ભીમા નાથાભાઇ સામે ખૂનનો ગુન્હો નોંધ્યો છે બગવદર પોલીસ વધુ તપાસ ચલાવી રહેલ છે.

(11:38 am IST)