Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગુરૂવારે 'કૌન બનેગા કરોડપતિ 'માં જામનગરના અધ્યાપિકા ડો.સુરભીબેન દવે નસીબ અજમાવશે

 

જામનગરઃ જામનગરના મહિલા અધ્યાપક જાણીતા કાર્યક્રમ કોન બનેગા કરોડપતિમાં પસંદ થયા બાદ તેઓનો એપીસોડ તા.૧૦ના ગુરૂવારે  પ્રસારિત થશે ત્યારે દેશભરમાં જામનગરનું નામ પણ ગુંજતું થશે.

 

ડો.સુરભીબેન દવે નામના શિક્ષણ તાલીમ ભવનના અધ્યાપક કોન બનેગા કરોડપતિ નામના કાર્યક્રમમાં સીઝન ખુલવાના સમયે પસંદ થયા બાદ ક્રમશઃ દરેક તબક્કામાં પસંદગી પામ્યા બાદ છેલ્લા ફાસ્ટેસ્ટ ફીંગર ફર્સ્ટ રાઉન્ડમાં પણ અવ્વલ રહેતાં તેઓને અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસીને પ્રશ્નોના જવાબ આપવાનો મોકો મળ્યો હતો.

  જાણવા મળતી વિગતો પ્રમાણે સીઝન ખુલે ત્યારે જે પ્રશ્ન પુછવામાં આવે તે જવાબ સાચો પડે તે બાદ લક્કી ડ્રોની માફક પસંદગી પામેલાઓને ફોનથી પ્રશ્નો પુછવામાં આવે જે બાદ ફરી લક્કી ડ્રો જેવો રેન્ડમાઈઝેશનનો રાઉન્ડ આવે તે પછી જે તે રાજ્યના ઓડીશન સેન્ટર પર કસોટી થાય તે પછી પસંદગીના વ્યક્તિ મેરીટના ધોરણે અને નસીબના જોરે આગળ જાય. અમિતાભ બચ્ચન સાથેના અનુભવ અંગે તેમણે જણાવ્યું હતું કે, આપણા ધાર્યા કરતા પણ તેઓ વધુ સાલસ અને પરગજુ એટલે કે, ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે

(12:04 am IST)