Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગોંડલમાંથી ગૂમ થયેલ વેપારી જીતેન્દ્રભાઇ પાનસુરીયાનો પતો ન લાગતા પરિવારમાં ચિંતા

ગોંડલ તા. ૬ : ગોંડલના ગુંદાળા રોડ ઉપર આવેલ માધવ નગર સોસાયટીમાં રહેતા પટેલ યુવાન બે દિવસ પહેલા અચાનક ગુમ થઈ ગયા બાદ  પતો ન લાગતા પરિવાર ચિંતામાં મુકાઈ જવા પામ્યો હતો દ્યટના અંગે સિટી પોલીસમાં અરજ થવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માધવનગર સોસાયટીમાં રહેતા અને નવા માર્કેટિંગ યાર્ડ ખાતે નમન એન્ટરપ્રાઇઝ નામે દુકાન ધરાવતા જીતેન્દ્રભાઇ લાલજીભાઇ પાનસુરીયા (ઉ.વ. ૪૬) ગત તારીખ ૨ ના રાત્રિના દ્યરે ભોજન કરી રોડ સુધી ચક્કર મારીને આવવાનું કહ્યા બાદ ઘદ્યરે પરત ન આવતાં ભેદી સંજોગો માં ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો, સગા સ્નેહી મિત્ર મંડળ માં અનેક જગ્યાએ તપાસ કર્યા બાદ પણ યુવાન નો પતો ન લાગતા આખરે પોલીસનેસ જાણ કરવામાં આવી હતી.

(12:26 pm IST)