Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

બોટાદ પાસે સુરતના માંગરોળની બસ પલ્ટી જતા ૬૦ ને ઇજા

સુખનાથ મહાદેવ મંદિરે ડાયાબીટીસના દર્દીઓ ઉકાળો પી ને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો

બોટાદ-ભાવનગર, તા. ર૬ :  બોટાદ જીલ્લાનાં ખાખુઇ ગામથી પરત ફરી રહેલી સુરતના માંગરોળના ૬૦ જેટલા લોકો સાથેની ખાનગી બસ પલ્ટી જતા ૬૦ મુસાફરોને નાની-મોટી ઇજા થતા બોટાદની હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોટાદનાં ખાખુઇ ગામ નજીક આવેલા શ્રી સુખનાથ મહાદેવ મંદિરે ડાયાબિટીસનાં દર્દીઓ ઉકાળો પીવા માટે આવે છે.

ત્યારે સુરતના માંગરોળથી ખાનગી બસ લઇને ૬૦ જેટલા દર્દીઓ ખાખુઇ આવ્યા બાદ ઉકાળો પીને પરત ફરી રહ્યા હતા ત્યારે બોટાદ નજીકના કાંકનીયા રોડ ઉપર ડ્રાઇવરે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ખાનગી બસ પલ્ટી જતા ૬૦ જેટલા લોકોને નાની મોટી ઇજા થતા આસપાસના લોકોએ તાબડતોબ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બોટાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૯.૩)

(11:43 am IST)