Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પોરબંદરના મિંયાણી ગામના કોળી મહિલા રંભીબેનનું દાઝી જતાં મોત

રાજકોટ તા. ૧૭: પોરબંદર તાબેના મિંયાણી ગામમાં રહેતાં રંભીબેન રવજીભાઇ વાઘેલા (કોળી) (ઉ.૩૮) તા. ૧૪ના રોજ દાઝી જતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત મોડી રાત્રે તેમનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને રાજદિપસિંહે કાગળો કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારના લગ્ન વીસ વર્ષ પહેલા થયા હતાં. ૧૪મીએ સ્ટવ પર રસોઇ બનાવતાં હતાં ત્યારે ભડકો થતાં દાઝી ગયાનું પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(12:29 pm IST)