Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

જસદણ-સુરેન્દ્રનગર લોકલ એસ.ટી. બસ પુનઃ શરૂ : મુસાફરોમાં આનંદ

વિંછીયા તા.૨૦ : જસદણ એસ.ટી.ડેપો દ્વારા લાંબા સમયથી બંધ જસદણ સુરેન્દ્રનગર લોકલ એસટી બસ રૂટ ફરી શરૂ કરાતા જસદણ વિંછીયા તાલુકાની મુસાફર જનતામાં રાહત થઇ છે.

જસદણ એસ.ટી.ડેપો દ્વારા જસદણ સુરેન્દ્રનગર એકમાત્ર એસટી રૂટ ઘણા લાંબા સમયથી બંધ હતો. મુસાફર જનતાની એકમાત્ર સવારની સુરેન્દ્રનગર જવાની સુવિધા છીનવાઇ ગઇ હતી. જે શરૂ કરવા વિંછીયાના જાગૃત નાગરિકોએ વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી. સાથે આ બસ રૂટ શરૂ કરવા વારંવાર અખબારી અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા જેમાં જસદણ એસટી ડેપો માં નવનિયુકત મહિલા ડેપો મેનેજર ભાવનાબેન, ટીસી અનિલભાઇ સાંખડ વગેરેનો સહકાર મળતા આ બસ રૂટ ફરી લાંબા વિરામ બાદ શરૂ કરાતા મુસાફર જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

મુસાફર જનતાએ સવારે ૭ વાગ્યે જસદણ થી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરથી સવારે ૧૧ વાગ્યે પરત જસદણ આવતી આ બસ રૂટનો લાભ લેવા એકયાદીમાં અનુરોધ કર્યો છે.

(11:35 am IST)