Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

માણાવદરના થાનીયાણાની બે પરપ્રાંતીય સગી બહેનના તાવથી મોત

જૂનાગઢ તા. ર૦: માણાવદરનાં થાણીયાણાની બે પરપ્રાંતીય તાવની બિમારીથી મોત થતાં સમગ્ર
પંથકમાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ રાજસ્થાનનાં અલવર જિલ્લાનાં વતની બલવીરભાઇ પોવાર પરિવાર સાથે પેટિયું રળવા માટે માણાવદર તાલુકાનાં ચાનીયાળા ગામે આવેલ છે.

થાનીયાણાની ધીરૂ ઉકાભાઇ ઝાલાવડીયાની વાડીએ રહી અને ખેત મજુરી કરતા આ રાજસ્થોાની પરિવારની બે પુત્રી સરોજ (ઉ.વ. રપ) અને કાંતા (ઉ.વ. ૧૬) ને તાવ આવતા ગત તા. ૧૬ના રોજ માણાવદર ખાતેની સરકારી હોસ્પિટલમાં નિદાન કરાવીને દવા લેવામાં આવી હતી.

પરંતુ બે દિવસ અગાઉ ફરી તાવ આવવાની સાથે ઉલ્ટી થતાં બંને બહેનોને માણાવદરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ જયાં ગત રાત્રે બંને બહેનોએ અંતિમ શ્વાસ લેતા ગમગીની પ્રસરી ગઇ હતી.

આમ સરોજ અને કાંતા માટે તાવની બિમારી ઘાતક નીવડતા રાજસ્થાની પરિવાર પર વ્રજઘાત થયો હતો.

(11:27 am IST)